Product Description
અત્તરને મમળાવવાનો અવસર એટલે જ આસ્વાદનું અમૃત
અત્તર ભલે શીશીમાં હોય, પણ શીશી ખૂલે પછી અત્તરની સુગંધ શીશીની મહોતાજ નથી હોતી! પછી તો એ પવનમાં ભળી જઈને આપણા શ્વાસ સુધી પહોંચે છે. કવિતા લખાઈ જાય પછી જેમ ભાવકોની બને છે તેમ એને સારો સ્વિકાર મળે તેનું સ્વરાંકન થઈ જાય છે અને એને ચાહનારો આ સ્વાદક મળે તો એ આ સ્વાદકની સુગંધમાં મ્હોરે છે.
અત્તર લગાવવાનું થોડુક જ હોય, પણ એનો મઘમઘાટ આખો દિવસ આપણા શ્વાસમાં સુગંધ ભરે છે. અહી જે કવિતાઓ લીધી છે અને એનો આસ્વાદ કરાવ્યો છે એમાં આવી પહેલા વરસાદની ભીની માટીની સોડમ્ છે. અત્તરની ખૂશ્બૂને આત્મસાત્ કરીએ...
Additional information
| Author | Ankit Trivedi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2024 |
| Pages | 120 |
| Bound | Paperback |
| ISBN | 978-93-93237-56-9 |
| Edition | First |
| Subject | No |