- 20 %

Athashree

Regular Price: INR 425.00

Special Price INR 340.00

Availability: In stock

Athashree
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં?
 

Product Description

શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે?

આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.

Additional information

Author Jignesh Adhyaru
Language Gujarati
Publisher Balvinod Prakashan
Publication Year 2022
Pages 352
Bound Paperback
ISBN 978-93-84780-47-0
Edition Reprint
Subject Religious

Reviews

Review by:
આપણી સંસ્કૃતિને જાણવા સમજવા માટે ઉપયોગી એવું આ પુસ્તક વાંચવું જોઈએ. ઘણા પ્રશ્નોના ઉત્તર તેમાંથી મળી રહે છે. આપણી સંસ્કૃતિને, આપણા સાહિત્યિક વારસાને આપણે નહિ સાચવીએ, સમજીએ તો બીજું કોણ સાચવશે? (Posted on 3/18/2022)
Review by:
ફિક્શન નું સંક્ષિપ્ત રૂપ એટલે માઈક્રો ફિક્શન તેમ રામાયણ અને મહાભારત નું અર્થપૂર્ણ સંક્ષિપ્ત સંકલન એટલે #અથશ્રી.
પુસ્તકો વાંચવાની, ભારતીય સાહિત્ય વારસાથી અવગત થવાની, પ્રાચીન સંસ્કૃતી ની ઓળખ કેળવવાની, ધર્મ અને અધર્મ ના પ્રશ્નો ના આયામ સમજવાની, ઐતિહાસિક પાત્રોના વિચારો ને જાણવાની, નીતિ / મર્યાદા / નિષ્ઠા ના પાઠ જાણવાની, મનુષ્ય ના રૂપ માં આવેલ ભગવાન ના જીવન ના રંગ જોવાની, સંબંધો ને ધર્મ ના (કે પછી કદાચ ધર્મ ને સંબંધો ના) ના દાયરા માં સમજવાની, અને કથિત જીવન ના મૂંઝવણભર્યા સમય ના પ્રશ્નો ના જવાબ શોધવાની દિશા આપતું આ પુસ્તક, મારા મતે એક ખુબ જ પ્રેરણાદાયક સાહિત્ય સંકલન છે. (Posted on 2/9/2021)
Review by:
ખૂબ જ સરસ , આપણાં ધર્મગંથોને લગતી ઘણી બધી જાણવાલાયક બાબતોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, (Posted on 11/21/2020)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.