Product Description
'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.
Additional information
Author | Deepak Meghani |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 128 |
Bound | Paperback |
ISBN | 9789393223555 |
Edition | Reprint |
Subject | Quotes |