જય વસાવડાનું નવું જ પુસ્તક "લાઇફલાઇન" જેમાં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ.
જીવનને સમજતા અને જિંદગી જીવતાં શીખવાડતું સાહિત્ય એટલે જય વસાવડાનું નવું પુસ્તક "લાઇફલાઇન" !