ના થોભે આ મન, ના થોભે આ સમય,
બંને ચાલે અદૃશ્ય, કેવાં અવિરત યાત્રીઓ.
આપણે બધા જ અહીં એક વિશ્વ યાત્રી છીએ અને આપણે એક જીવન યાત્રા કરી રહ્યા છીએ. આપણી આ જીવનયાત્રા સંઘર્ષોથી ભરેલી છે. આ પુસ્તકના બધા જ પ્રકરણ મનુષ્યને એક જીવન યાત્રા કરાવે છે, જેમાં મનુષ્યને કંઈક ને કંઈક થોડુંક કે વધારે શીખવા, જાણવા અને સમજવાની પ્રેરણા મળશે. આ પુસ્તક “વિશ્વ યાત્રી”માં ૩૦ પ્રેરણાત્મક લેખો અને લઘુવાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેમ મરજીવા દરિયામા ઊંડે સુધી જઈને સાચા મોતીઓ શોધીને લઈ આવે છે. એમ જ આ મનુષ્ય પણ પોતાના મનને આ પુસ્તકના પ્રકરણોમાં ઊંડે સુધી ઉતારશે તો એને પણ જીવન જીવવાની કંઈક નવી રાહ અને પ્રેરણા મળી આવશે.
– મનોજ નાવડીયા