આજની ઝડપી દુનિયામાં કોઈએ બે ઘડી શાંત બેસીને ‘અંતરના ઝરૂખેથી’ બહાર ડોકિયું કરીને શોધેલી લાગણીથી તરબોળ, હૃદયસ્પર્શી વાતોનો ખજાનો આ પુસ્તક તમારા માટે ખોલી આપશે. લાગણી અને વિચારોના ઉદ્દીપક સમાન બની રહે તેવી આ ટૂંકી અને ટચૂકડી વાર્તાઓ તમને પરિચિત અને પોતીકી લાગે તો નવાઈ નહીં.
રોહિત વઢવાણાની સરળ, સ્પષ્ટ અને સચોટ ભાષામાં સામાન્ય જીવનની, આપણી આસપાસ બનતી ઘટનાઓને પ્રસ્તુત કરતો વાર્તાસંગ્રહ