લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની basic જરૂરિયાત હતી અને છે જ. બે જુદી વ્યક્તિ, જુદો ઉછેર, જુદાં શિક્ષણ, માનસિકતા અને ઇગો. એકમેકને સમજી, સ્વીકારીને આનંદથી સાથે જીવી શકે એ વ્યક્તિ અને સમાજ બેઉની જરૂરિયાત છે. આ પુસ્તકમાં નમવાની નહિ, ગમવા અને ગમતા રહેવાની વાતો છે. સમાધાન નહિ, સ્નેહ અને સ્વીકાર સાથે સહજીવનની સરળ રીતનું કાજલ ઓઝા વૈદ્યનું આ પુસ્તક જીવનની કોઈ પણ ઉંમરે સુખી થવાની શરૂઆત કરવામાં મદદ કરી શકે છે.