"કોઈ પંખો ચાલુ કરો"
અશોક દવે લિખિત કોલમ બુધવારની બપોરે વર્ષોથી ગુજરાત સમાચારમાં આવે છે. આ કોલમ હજારો વાંચકોની મનપસંદ કોલમ છે. બુધવાર એટલે જ જાણે અશોક દવેની કોલમ વાંચવાનો દિવસ. જુદું જુદું વિષય વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય તે અશોક દવેની કોલમની મુખ્ય ખાસિયત છે. આ પુસ્તક પણ તમને ખૂબ હસાવશે. તમારી અંદર બંધ પડેલો હાસ્યનો પંખો ચાલુ કરી દેશે.