"પુરાણ અને વિજ્ઞાન"
વજુ કોટકે ચિત્રલેખામાં પુરાણો અને વિજ્ઞાન વિશે ગગનદૂતના નામથી ઘણા બધા લેખો લખ્યા હતા અને આ લેખોની શ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વાતોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ સરસ રીતે વણી લેવામાં આવ્યું હતું. તેની આ ખાસિયત વાચકોને ગમી ગયેલી. આ પુસ્તક પુરાણ અને વિજ્ઞાનને સુંદર રીતે આલેખે છે તે દરેકને વાંચવું ગમે તેવું રસપ્રદ છે.